
ધર્મસભામાં મહિલાઓનું યોગદાન – સેન્ટ જોસેફ મહિલા પાંખનો સેમિનાર
August 13, 2025તારીખ ૧૯ ઓગસ્ટ ૨૦૨૫, મંગળવારના રોજ અમદાવાદ ધર્મપ્રાંતના ધર્માધ્યક્ષ પરમ આદરણીય રત્નસ્વામી કરમસદ વિભાગની પવિત્ર મુલાકાતે પધાર્યા હતા. આ પાવન પ્રસંગે સ્થાનિક ધર્મજનોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
સાંજે ૫:૩૦ વાગ્યે પેરિસ કાઉન્સિલના તમામ સભ્યો સાથે વિશિષ્ટ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકની શરૂઆત ઉપપ્રમુખ શ્રી અતુલ માસ્ટર તથા સેક્રેટરી રોશનીબેન દ્વારા છોડ અર્પણ કરી ધર્માધ્યક્ષશ્રીનું ઉષ્માભર્યું સન્માન કરીને કરવામાં આવી હતી. આ સન્માન માત્ર ઔપચારિકતા નહોતું, પરંતુ તેમના પ્રત્યેના સન્માન, આદર અને કૃતજ્ઞતાનું જીવંત પ્રતીક હતું.
ત્યારબાદ વિવિધ મંડળોના પ્રમુખોએ પોતાની પ્રવૃત્તિઓ અને કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો. દરેક અહેવાલમાં મંડળોની સેવાભાવના, કાર્યોમાં સભ્યોનો સહકાર અને ભવિષ્યના આયોજનનો સુંદર આલેખ હતો. આ રજૂઆતોથી ધર્માધ્યક્ષશ્રીએ પ્રાંતીય સ્તરે થતા ધાર્મિક તથા સામાજિક કાર્યોની જીવંત ઝાંખી મેળવી.
અંતે પરમ આદરણીય રત્નસ્વામીએ સૌને હ્રદયસ્પર્શી માર્ગદર્શન તથા આશીર્વચન આપ્યા હતા. તેમના વચનોએ સભ્યોને નવી ઊર્જા, પ્રેરણા અને સેવા ભાવના સાથે આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. અંતે સર્વે સભ્યોએ સાથે મળીને પ્રાર્થના કરી અને ભગવાનની કૃપા સાથે આ પવિત્ર મુલાકાત પૂર્ણ કરી હતી.
*** પ્રસંગ ના ફોટો જોવા માટે આપણા સોશ્યિલ મીડિયા ની લિંક જુઓ




