૬ જુલાઈ ૨૦૨૫ના રોજ, રવિવારના બીજા ખ્રિસ્તીયજ્ઞ બાદ, સેન્ટ જોસેફ કેથોલિક ચર્ચ કરમસદ ખાતે ધર્મશિક્ષણના બાળકો માટે ખાસ એક આત્મીય અને અધ્યાત્મમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
૨૨ જૂન, ૨૦૨૫ના રવિવારના દિવસે "પરમપ્રસાદનું પર્વ" ખૂબ જ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઊર્જા સાથે ઉજવવામાં આવ્યું. આ શુભ અવસરે બીજા ખ્રિસ્તયજ્ઞમાં વેદી સેવક બનનારા તમામ બાળકોને અને નિયમિત રીતે વેદી સેવા આપતા બાળકોને વિધિવત્ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.