April 11, 2025
દિવ્ય શાંતિ અને ભક્તિભાવથી યુક્ત એવી એક મહત્વપૂર્ણ યાત્રાનું આયોજન સેન્ટ જોસેફ કોન્ફરન્સ, કરમસદ દ્વારા ૦૬ એપ્રિલ ૨૦૨૫, રવિવાર ના રોજ કરવામાં આવ્યું હતું. આ ભક્તિયાત્રા આંકલાવ ચર્ચ ખાતે યોજવામાં આવી હતી, જ્યાં હજારો શ્રદ્ધાળુઓએ ભક્તિ , શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
January 31, 2025
સેંટ જોસેફ સિનીયર સિટીજન મંડળ, કરમસદ દ્વારા ફ્રી હોમિયોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન તા. 26મી જાન્યુઆરીના રોજ કરમસદ ચર્ચમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સૌનું સ્વાગત કર્યા બાદ ઈસુદાસ સભાએ ભજન અને પ્રસ્તાવના રજૂ કરી હતી. મંડળના આધ્યાત્મિક સલાહકાર અને કરમસદ પેરિશના સભ્યોના યજ્ઞિક પૂજ્ય ફા. ટોનીએ સેંટ જોસેફની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી અને સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સૌને આશિર્વાદ આપ્યા હતા.


